પંચાંગ એ આપણું પોતાનું ભારતીય કેલેન્ડર છે, જે હિન્દુ સમયના પરંપરાગત એકમોને અનુસરે છે અને દરેક મહિના માટે મહત્વની તારીખો/તિથિઓ દર્શાવે છે. તેમાં સૂર્યઉદય/સૂર્યાસ્ત સમય તેમજ ગ્રહણ અને ચોઘડિયાની વિગતો પણ હોય છે. પ્રસંગોપાત ચોક્કસ તિથિ/દિવસ વિશે મૂંઝવણ હોઈ શકે છે કારણ કે જુદા જુદા લોકો જુદા જુદા માર્ગદર્શનને અનુસરે છે. આવા સંજોગોમાં, તમે તમારા પોતાના નજીકના મંદિર/શાસ્ત્રીજીનો સંપર્ક કરી સલાહ લઈ શકો છો અથવા તમે સનાતન પંચાંગ વેબસાઇટ (http://sanatanpanchang.com) નો સંદર્ભ લઈ શકો છો.